જાણો બજરંગદાસ બાપા ની જીવન કથા. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ની કથા બાપા સીતારામ બાપા બજરંગ દાસ ની ઇતિહાસ ની જો વાત કરવા માં આવે તો બજરંગ દાસ બાપા નું મૂળ કુટુંબ રાજસ્થાન થી હતું મૂળ થી એ રામાનંદી સાધુ અને ભાવનગર જીલ્લા માં વર્ષોથી સ્થાયી થયા હતા. ભાવનગર શહેર થી 6 કિ.મી દૂર આવેલા અધેવાડા ગામ પાસે થી 1 કી.મી અંદર ઝાંઝરીયા હનુમાન દાદા ના શરણ માં પ્રાગટ્ય થયેલો. [ જન્મ થયેલો ] પિતા હરિદાસજી નું મૂળવતન વલ્લભીપુર પાસે આવેલુ લાખણકા ગામ માં નિવાસ કરતા હતા. અને બજરંગદાસ બાપાનું મોસાળ બુધેલ પાસે માલપર ગામ હતું. તેમના માતા શિવકુંવર બા ત્યારે લાખણકા થી પિયર માલપર આવી રહ્યા હતા ત્યારે તે સમયે કાચા રસ્તાઓ હતા. અને વાહનો ની સગવડો ન હતી. ત્યારે અધેવાડા ગામ પાસે સ્મશાન ની ઝૂંપડી પાસે વિસામો ખાવા બેઠા હતા. એ સમયે નદીની આસપાસ બે ત્રણ બેહનો કપડાં ધોતી હતી. તેઓ માતા ની પાસે આવ્યા. જે એક બહેન ને [ દુધીબહેન ] બોલાવી લાવ્યા અને અને માતાજી ને ગામ ની અંદર આવવા જણાવ્યુ એ સમયે માતાજી એ ગામ માં આવવાની ના પાડી માતાજી એ ઝાંઝરીયા હનુમાન તરફ ...