જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય
એક સમયે એ બ્રહ્માજી બ્રહ્મલોક માં ધ્યાન માં લીન હતા ત્યારે ત્યાં ભગવાન શંકર પધાર્યા અને બ્રહ્માજી નું ધ્યાન ક્યારે તૂટે તેની રાહ જોવા લાગ્યા પરંતુ બ્રહ્મદેવે પોતાની આંખ ન ખોલી.
સમય વધવા લાગ્યો પણ બ્રહ્માજી ધ્યાન માં લીન હતા.હવે ભગવાન શંકર ની શાંતિ નું બાણ તૂટવા લાગ્યું અને ડમરુ વગાડી ને જગાડવાનું પ્રયાસ કર્યો.
પણ બ્રહ્મા ની આંખ ના ખુલી પણ જ્યારે બ્રહ્મા ની આંખ ખુલી ત્યારે તેને ભગવાન શિવજી ની માફી માંગી .
પણ શિવજી ને શાંત ન કરો શક્યા ત્યારે બ્રહ્મા એ ભગવાન સત્યનારાયણ નું સ્મરણ કર્યું . ભગવાન વિષ્ણુ એ શિવજી ના ક્રોધ ને શાંત કર્યો .
પણ તેનો અંશ અડધા થી વધારે નષ્ટ થઈ ચૂક્યો હતો .ત્યારે દેવી અનસૂયા ના ત્રણેય બાળકો માં બે શિશુ અર્થાત્ ચંદ્ર દેવ અને દુર્વાસા ને જન્મ દીધો (મહર્ષિ દૂર્વાસા મોટા અને ચંદ્રમા બીજા સ્થાન ના પુત્ર હતા )જ્યારે ત્રીજા શિશુ અર્થાત્ ભગવાન દત્તાત્રેય નો જન્મ નતો થયો પણ માટે અનસૂયા ને પ્રસવપિડા થય રહી હતી.
ત્યારે બ્રહ્મા અને શિવજી ને બધી વાત સમજ આવી અને ત્યારે તેને પોતાનો અંશ મોકલી જેનાથી ભગવાન દતાત્રેય ને
ગર્ભ માં જ ત્રણ મસ્તક અને છ હાથ થયા.
ભગવાન દત્તાત્રેય ને અન્ય બે ભાઈ ચંદ્રમા અને ઋષિ દુર્વાસા હતા. ચંદ્રમા ને બ્રહ્મા નું રૂપ મનાય છે . અને ઋષિ દુર્વાસ ને શિવજી નું રૂપ મનાય છે.ભગવાન દત્તાત્રેય નો જન્મ માગશર માસ ની શુક્લ પક્ષ ની પૂર્ણિમા ના દિવસે થયો તેથી તે દિવસ ને હિન્દુ ધર્મ માં દતાત્રેય જયંતિ ના નામે ઉજવાય છે .
ભગવાન દત્તાત્રેય ને એક સમયે રાજા યદુ એ પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા ગુરુ કોણ ?
ભગવાન દત્તાત્રેયે જવાબ આપ્યો કે ' આત્મા એ જ મારો ગુરુ છે ' ત્યારે તેને જણાવ્યા કે ચોવીશ વ્યક્તિઓને ગુરુ માની શિક્ષા ગ્રહણ કરી છે .
*ચોવીશ ગુરુઓ ના નામ:*
૧. પૃથ્વી
૨. જળ
૩.વાયુ
૪.અગ્નિ
૫.આકાશ
૬.સૂર્ય
૭.ચંદ્રમાં
૮. સમુદ્ર
૯.અજગર
૧૦. કપોત
૧૧. પતંગા
૧૨.માછલી
૧૩. હિરણ
૧૪.હાથી
૧૫. મધુમક્ખી
૧૬. શહદ નિકાલને વાલા
૧૭.કુરર પક્ષી
૧૮.કુમારી કન્યા
૧૯.સર્પ
૨૦.બાળક
૨૧.પિંગલા વૈશ્યા
૨૨. બાણ બનાને વાલા
૨૩.મકડી
૨૪.ભ્રુંગી કીટ
ભગવાન દત્તાત્રેય બ્રહ્મા - વિષ્ણુ - મહેશ ના અવતાર મનાય છે .
ભગવાન દત્તાત્રેય ભગવાન શંકર ના સાક્ષાત રૂપ થી તેજોમય છે .
અને ત્રણેય ઈશ્વરીય શક્તિઓ ની સમાન દત્તાત્રેય ની આરાધના સફળ અને જલ્દી ફળ પ્રાપ્ત દેનારી છે. ભગવાન દત્તાત્રેય આજન્મ બ્રહ્મચારી,અવધૂત અને દિગંબર રહ્યા છે.
ભગવાન દત્તાત્રેય સર્વવ્યાપી છે .
અંને કોઈપણ સંકટ માંથી જલ્દી ભક્તો ની વાહરે આવી તેનું કલ્યાણ કરે છે . જો કોઈ મનુષ્ય માનસિક ,કર્મ,અને વાણી દ્વારા ભગવાન દત્તાત્રેય ની ભક્તિ અને ઉપાસના કરે તો કોઈપણ મુશ્કેલી શિગ્ર થી શીગ્ર દૂર થાય છે.
જય ગિરનારી
*ભગવાન દત્તાત્રેય ના અવતાર
૧.શ્રી પાદવલ્લભ
૨.નૃસિંહસરસ્વતી
૩.સ્વામીસમર્થ
૪. મણિકપ્રભુ
૫.ગજાનંદ મહારાજ
ભગવાન દત્તાત્રેય જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર બિરાજમાન છે . ત્યાં તળેટી માં ભગવાન ભવનાથ મહાદેવ
વિદ્યમાન છે. અને દેવઊઠી અગિયારસ નું ખૂબ જ મહત્વ છે.કારણકે ગિરનાર ની પરિક્રમા નું ખૂબ જ મહત્વ છે . ત્રણ દિવસ (કારતક સુદ દેવઊઠી અગિયારસથી કારતક સુદ તેરસ સુધી ) ની લીલી પરિક્રમા કરવા લાખો શ્રદ્ધાળુઓ અનંત ખૂબ ઉત્સાહ થી લીલી પરિક્રમા માં જોડાય છે .
અને ગિરનાર ની પરિક્રમા પૂર્ણ કરે છે. અને ગિરનાર માં શિવરાત્રી નું ખૂબ જ મહત્વ છે . તે રાત્રિ એ સાધુ,સંતો,સન્યાસી,વૈરાગી,બાવા,ત્યાગી,નાગાસાધુ,અઘોરી બધાય જનસમુદાય "મૃંગી કુંડ" માં સ્નાન કરવા પધારે છે .
લોક વાયકા છે ,કે શિવરાત્રી ના સમયે ભગવાન શિવજી સાક્ષાત સ્નાન કરવા પધારે છે તેથી તેને "શાહી સ્નાન " ના નામે સંબોધન થાય છે .
ગિરનાર ની ધરતી પર અનેકો સંતો અને મહંતો અખંડ ધુણો ધપાવી ને પ્રભુ ભજન કરે છે. અનંત સાધુ હજારો અને લાખો વર્ષો થી તપ માં લીન તપશ્ચર્યા કરે છે .
ગિરનાર ની ધરણી પર ગુરુ ગોરખનાથ નું શિખર આવેલું છે
પૂર્ણ ગિરનાર પર ભગવાન દત્તાત્રેય ની ખૂબ કૃપા વરસી છે ....
"आदौ ब्रह्मा मध्ये विष्णुरन्ते देवः सदाशिवः
मूर्तित्रयस्वरूपाय दत्तात्रेयाय नमोस्तु ते।
ब्रह्मज्ञानमयी मुद्रा वस्त्रे चाकाशभूतले
प्रज्ञानघनबोधाय दत्तात्रेयाय नमोस्तु ते ।।
જય ગિરનારી
Comments
Post a Comment