Skip to main content

શું છે મહાભારત નો ઇતિહાસ ? કર્મ અને જીવન ની લીલા । જાણવા માટે અહીં ક્લિક કરો

 મહાભારત એટલે શું ??


મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .

 તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા  સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ  કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે. 

રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે  છે  અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે. 

એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.

 અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ...


ક્રમશઃ ......

આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,,

અને follow કરવાનું ભૂલતા નઈ ....

Comments

Popular posts from this blog

શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી હોય

 શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી  હોય  ભગવાન વેદવ્યાસ ની વાણી કાવ્યદ્રષ્ટિ એ તો રસભરી છે જ પરંતુ તેની સાથે એ વાણીરૂપી કુંદન માં જે હીરા જડેલા છે તે પણ તેજસ્વિતાદિ ગુણો  માં કઈ જેવા તેવા નથી  મહાભારત સેતુબંધ રામેશ્વર થી હિમાલય સુધી સૌને માટે એકસરખો જ પ્રમાણભૂત કેમ મનાય છે ? તો તેનું કારણ એ છે કે પાંડવો નો કાળ એ ભારતવર્ષ નો ભાગ્યોદય નો કાળ હતો ભરતખંડ ના બહાર ના રાષ્ટ્રો માં ભારતવર્ષે ને અગ્રસ્થાન મળેલું હતું .... ઇતિહાસ કિંવા , તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ નું જ્ઞાન પ્રાપ્ત આપણે મહાભારત ગ્રંથ માંથી મળે છે ..... ભારત ભૂમિ માં ચારેય તરફ હિન્દૂસમાજ આર્યસમાજ માં ફેલાયેલો છે આજ થી વર્ષો પૂર્વે ધર્મ નીતિ અને વ્યવહાર માં તથા રાજનીતિ શીખવવામાં પણ મહાભારત ગ્રંથ ઉત્તમ કારણભૂત થયેલો છે  બારમી  સદી   ના અરસા માં જે ધર્મ જાગૃતિ થયેલી તેમાં મહાભારત માની જ કથાઓ ઐતિહાસિક હકીકતો ના રૂપ માં છોકરા ને ભણાવતા હતા પણ સમય નું ચક્ર બદલી   આજ ના યુગ માં માનવ આપ...